ઉના શહેરમાં આવેલ વોર્ડ નં. ૭ માં ચંદ્રકિરણ ખાણ વિસ્તારમાં વરસાદ દરમિયાન રોડમાં પાણી ભરાઈ રહેતા હોવાથી ચંદ્રકિરણ ખાણ વિસ્તારના રહીશોને તેમજ લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી આ વિસ્તારના રહેવાસીઓ એ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડને કાર્યાલયે રૂબરૂ મુલાકાત કરી અને રજુઆત કરતા ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ ધારાસભ્યશ્રી તથા ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા એ ચંદ્રકિરણ ખાણ વિસ્તાર રોડમાં પાણી ભરાતા અને ત્યાંથી પાણીનો નિકાલ થઈ શકતો ના હોવાથી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને ધારાસભ્યશ્રી એ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી આ વરસાદી પાણીનો કઈ રીતે નિકાલ કરી શકાય તે અંગેની ચર્ચાઓ અને જરૂરી સુચના આપી હતી. રિપોર્ટર : માધુ ભાલીયા, ઉના

