Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ વરસાદી પાણીનો કઈ રીતે નિકાલ કરી શકાય તે અંગેની ચર્ચાઓ અને જરૂરી સુચના આપી

ઉના શહેરમાં આવેલ વોર્ડ નં. ૭ માં ચંદ્રકિરણ ખાણ વિસ્તારમાં વરસાદ દરમિયાન રોડમાં પાણી ભરાઈ રહેતા હોવાથી ચંદ્રકિરણ ખાણ વિસ્તારના રહીશોને તેમજ લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી આ વિસ્તારના રહેવાસીઓ એ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડને કાર્યાલયે રૂબરૂ મુલાકાત કરી અને રજુઆત કરતા ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ ધારાસભ્યશ્રી તથા ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા એ ચંદ્રકિરણ ખાણ વિસ્તાર રોડમાં પાણી ભરાતા અને ત્યાંથી પાણીનો નિકાલ થઈ શકતો ના હોવાથી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને ધારાસભ્યશ્રી એ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી આ વરસાદી પાણીનો કઈ રીતે નિકાલ કરી શકાય તે અંગેની ચર્ચાઓ અને જરૂરી સુચના આપી હતી. રિપોર્ટર : માધુ ભાલીયા, ઉના

Related posts

ગીર સોમનાથ જીલ્લાના L.C.B ના ઈન્ચાર્જ P.I. અરવિંદસિંહ જાડેજા સાહેબની ઉત્કૃષ્ટ કામગીરીને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ બિરદાવી…

admin

તાલાળા તાલુકામાં અચાનક ભારે પવન સાથે વરસાદ

admin

મુંબઈના સિનિયર સિટીઝન વયોવૃદ્ધ મહિલાએ સુરક્ષિત આશ્રય માટે અભયમ ટીમની લીધી મદદ

admin

Leave a Comment