વહીવટી વોર્ડ નં. ૧૩ માં સતત લેખીત- મૌખીક રજુઆતો કરવા છતાં પણ કામગીરી થતી નથી તો આપ સાહેબશ્રી ધ્વારા જે તે અધિકારીઓ ધ્વારા રજુઆતનું નિરાકરણ કરવા બાબત આવેદન પત્ર આપવા માં આવ્યું
વોર્ડ નં. ૧૩ માં સતત લેખીત- મૌખીક રજુઆતો કરવા છતાંપણ વોર્ડ નં.૧૩ ની અંદર રોડ, રસ્તા, શુધ્ધ પીવાનું પાણી, ડ્રેનેજ લાઈનો, ગંદકી, લોકો ઉપર જાન લેવા હુમલા જેવી પાયાની સુવિઘાઓની રજુઆતો અધિકારીઓ ઘ્વારા કોઈપણ પ્રકારની કામગીરી આજદિન સુધી કરવામાં આવેલ નથી જેમાં માનનીય વડાપ્રધાન સાહેબ,માન.મુખ્યમંત્રી સાહેબ, માન.ગૃહમંત્રી સાહેબ, આપ સાહેબ, માન.મ્યુનિસીપલ કમિશ્નર સાહેબ, માન.મેયર સાહેબ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રીઓને પત્ર લખેલો છતાંપણ આજદિન સુધી કામગીરી કરવામાં આવેલ નથી.
તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ વહીવટી વોર્ડમાં રજુઆતો માટે ભુખ હડતાલ કરવામાં આવી હતી જેમાં—માળી રાજેશ ભીખાભાઈ દ્વારા સવારના ૧૦-૩૦ થી સાંજના ૫-૩૦ સુધી ભુખ હડતાલ પર હતા.જેમાં પાણી પણ નથી પીધું, જેમાં અધિકારીશ્રીઓ ધ્વારા જણાવવામાં આવેલ હતું કે, તમારી તમામ રજુઆતોની કામગીરી આવતી કાલથી શરુ કરી દેવામાં આવશે.પરંતુ, આજ દિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. જો, દિન- ૧૦ દિવસની અંદર રજુઆતોનો નીકાલ કરવામાં નહીં આવે તો,ફરીથી મે.મ્યુનિ.કમીશનરશ્રીની ઓફીસમાં ભુખ હડતાલ પર ફરીથી કરશે.

