વડોદરાની આગવી ઓળખ એવી વિશ્વામિત્રી નદી ફરી એકવાર રાસાયણિક પ્રદૂષણનો ભોગ બની રહી છે,વડસર નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પાસે નદીનું પાણી લાલ રંગમાં ફેરવાતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાંથી કેમિકલ યુક્ત વરસાદી કાંસ મારફતે નદીમાં છોડવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં શિડયુલ-વનના પ્રાણીઓનો નિવાસસ્થાન છે જેમાં મગરમચ્છ અને કાચબા સહિત અનેક જીવો વસે છે. આ પ્રકારના રાસાયણિક પ્રવાહથી નદીનાં પર્યાવરણ અને જળજીવીને ગંભીર નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને પર્યાવરણીય કાર્યકર્તાઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

