Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની આગવી ઓળખ એવી વિશ્વામિત્રી નદી ફરી એકવાર રાસાયણિક પ્રદૂષણનો ભોગ બની

વડોદરાની આગવી ઓળખ એવી વિશ્વામિત્રી નદી ફરી એકવાર રાસાયણિક પ્રદૂષણનો ભોગ બની રહી છે,વડસર નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પાસે નદીનું પાણી લાલ રંગમાં ફેરવાતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાંથી કેમિકલ યુક્ત વરસાદી કાંસ મારફતે નદીમાં છોડવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં શિડયુલ-વનના પ્રાણીઓનો નિવાસસ્થાન છે જેમાં મગરમચ્છ અને કાચબા સહિત અનેક જીવો વસે છે. આ પ્રકારના રાસાયણિક પ્રવાહથી નદીનાં પર્યાવરણ અને જળજીવીને ગંભીર નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને પર્યાવરણીય કાર્યકર્તાઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Related posts

ડભોઈમાં સગીરા સાથે દુષ્કર્મ આચનારને ૨૦ વર્ષની કેદ

admin

દ્વષ્ટિ ડોન બોસ્કો કપડવંજ સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સરકારી યોજનાઓની જાગૃતિ માટે કેમ્પ

admin

ફ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવતાં હાશકારો

admin

Leave a Comment