વડોદરા આમ તો શાંત અને સલામત શહેર છે,જોકે કેટલાક અસામાજિક તત્વો વડોદરાની આ શાખને ધબ્બો લગાડી રહ્યા છે,અતિ પોશ ગણાતા માંજલપુર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોની ટપોરી છાપ હરકતોથી વડોદરા પોલીસની સક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.માંજલપુરમાં મનહરનગરના રહીશો કોતર તલાવડી પાસે રહેતા અસામાજિક તત્વોના આતંકનો ભોગ બની રહ્યાના આક્ષેપો ઉઠયા છે,આ સામાજિક તત્વો હથીયારો સાથે ઘસી આવી લોકોને માર મારે છે તેમજ મનહરનગર પર પથ્થરમારો કરે છે.આ અસામીજક તત્વો આટલેથી અટકતા નથી,તેઓએ કહે છે કે, પોલીસ અમારા ખિસ્સામાં છે વિશ્વાસ ન આવતો હોય તો ઈસ્ટ્રાગ્રામ પર અમારા વીડિયો જોઈ લેવા અમે કોતર તલાવડીના કિંગ છે.હવે જોવાનું એ છે કે પોલીસે આ તત્વો સામે કેવી કાર્યવાહી કરે છે.

