અમાસના દિવસથી એટલે કે દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે. દશામાના વ્રતના પ્રારંભથી જ વિવિધ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે. મોટાભાગે બહેનો દશામાં નો વ્રત કરી અને માતાજીની આરાધના કરતું જોવા મળે છે. દશામાના વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો પણ માતાજીની મૂર્તિને સજાવટ તેમજ રંગ રોગણ કરતા નજરે ચડી રહ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરમાં સૌથી વધારે દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. બજારમાં વેચાણ કરતા કારીગરોનું કહેવું છે કે વિવિધ સારી અને માતાજીને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. જેથી અમે બે મહીના અગાઉ જ માતાજીની મુર્તિ તૈયારી કરવામાં લાગી જતા હોઈએ છીએ.

