જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં સિંચાઇ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા,જિલ્લા પંચાયતના સદસ્ય ઉમેશભાઈ રાઠવા,તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ રાઠવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પૌલ વસાવા અને આર્યુવેદિક અધિકારી પારૂલબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજ માંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ જેતપુર પાવી તાલુકાના તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી દર્દીઓ ને સારવાર અને સેવાઓ આપી હતી,જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
મોહસીન સુરતી છોટાઉદેપુર

