આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા અને ધારાસભ્ય સુધીર વાઘાણીએ વિધાનસભા સત્ર પહેલા સુત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતના રસ્તાઓ ખાડાવાળા, લોકો અને વાહનોને ભારે નુકસાન થયું હોવાના ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા હતા. સાથેજ વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય તે જરૂરી.લોકો રસ્તાઓની હાલતથી દુઃખી અને થાકી ગયા છે.મારા કાર્યકાળના પહેલા દિવસે જ જનતા મુદ્દો લઈને આવ્યો છું.જુનાગઢ, ભેસાણ અને વિસાવદરના મતદારોના આશીર્વાદથી ગૃહમાં પહોંચ્યો છું.ગુજરાતની જનતા માટે વિધાનસભામાં અવાજ ઉઠાવીશ તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.

