વિસાવદર કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાનનું વળતર આપવા બાબત ભારતીય કિસાન સંઘ વિસાવદર દ્વવારા મામલતદારને આપ્યું આવેદનપત્ર આજ રોજ ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા દ્વારા મુખ્યમંત્રીશ્રી ને મામલતદારશ્રી મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું
હાલ કમોસમી વરસાદ માવઠા ના લીધે જગતના તાત ખેડૂતોને ખેતીપાક મા ખૂબ મોટું નુકસાન થયુ છે જેનો સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેમજ ખેતીપાક વરસાદને કારણે અમુક વિસ્તારોમાં અમુક અંશે ડેમેજ થયો હોય જે ખરીદીમાં ડેમેજ ના ધોરણો થોડા અપ રાખી ખેત પેદાશોની ખરીદી થાય તે જરૂરી હોય અને ટેકાના ભાવે સમયસર ખરીદી શરૂ કરવામાં આવે
ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા પ્રમુખ જે પી હિરાણી વીસાવદર તાલુકાના સર્વે ખેડૂત ભાઇ યો તેમજ જયેશભાઈ વઘાસિયા મનસુખભાઈ હિરપરા રાજકારણી આગેવાનો નરેન્દ્ર ભાઈ કોટીલા સાહેબ ભરતભાઈ કોટડીયા અતુલભાઇ ભાયાણી અનિલભાઈ સરપંચ તેમજ ખેડૂત ભાઈઓ નામી અનામી બધા સાથે મળીને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપેલ છે

