36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રજાસત્તાક દિવસ પહેલાં ત્રિરંગાના વેચાણમાં ઘટાડો, વેપારીઓમાં નિરાશા, બજારમાં ઉત્સાહ ઓછો

26 જાન્યુઆરીને હવે ગણતરીના થોડાક કલાકો જ બાકી રહ્યા છે. આવતીકાલે સમગ્ર દેશ સાથે વડોદરા શહેરમાં પણ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે. પરંતુ આ વર્ષે ત્રિરંગાના વેચાણને લઈને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ત્રિરંગાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાના થી લઈને મોટા તમામ પ્રકારના ત્રિરંગા ઉપલબ્ધ છે, જેમાં તેની કિંમત રૂપિયા 10થી લઈને રૂપિયા 500 સુધી રાખવામાં આવી છે. તેમ છતાં ગ્રાહકોની આવક અપેક્ષા મુજબ નથી થઈ રહી.

વેપારીઓએ જણાવ્યું કે વધતી મહંગાઈ, ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ અને લોકોમાં રાષ્ટ્રીય તહેવારો પ્રત્યે ઘટતો ઉત્સાહ જેવી અનેક બાબતો વેચાણને અસર કરી રહી છે. પ્રજાસત્તાક દિવસ જેવા મહત્વના તહેવાર સમયે પણ બજારમાં ગતિ ન દેખાતા વેપારીઓમાં ચિંતા વધી છે.

Related posts

16 મી એ મુસ્લિમ સમાજના લોકો ઉજવશે ઇદે મિલાદુન નબી

admin

વડોદરા શહેરના સુભાનપુરા સ્લમ ક્વાર્ટર પાસે આવેલી કાળી તલાવડી માં બાળક ડૂબી ગયો હતો જેનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વાર બહાર કાઢવામાં આવ્યો હતો..

admin

શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિપ્રિયા એવા લાડુનો ભોગ 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે તેવા ગૌ માતાને અર્પણ કર્યો છે. સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌ માતાઓને જમાડવામાં આવી

admin

Leave a Comment