કોંગ્રેસના આગેવાન સંદીપભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, પ્રક્રમસિંહે 5 હજાર ફૂટ જમીન આપી સામે 4 લાખ ફૂટ જમીન છૂટી કરાવી. જયારે હુએ 25 હજાર ફૂટ જમીન આપી અને 50 હજાર ફૂટની જમીન છૂટી કરી નથી. તેમણે દબાણ જાતે કર્યું હોવાની કબૂલાત કરી છે જેથી તાત્કાલિક રાજીનામુ આપવું જોઈએ. મારી વડીલોપાર્જિત 25 કરોડની 20 હજાર ચોરસ ફૂટ જમીન 2019 માં પ્રજાની સુવિધા માટે વિના મુલ્યે આપી હતી. તેમણે 10 કરોડની હવેલી બનાવી છે જેની સીબીઆઈ તપાસ થવી જોઈએ. આટલા ટૂંકા ગાળામાં અઢળક નાણાં ભેગા કર્યા છે. શાશકોએ મળતિયાઓની જમીન છૂટી કરી 60 કરોડનું કૌભાંડ આચર્યું છે.

