સામાજિક કાર્યકર દ્રારા તંત્રની પ્રિમોન્સુનની કામગીરી સામે આકરા સવાલો
શહેરમાં ગતરોજ રાત્રી દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર અઢી ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયારનગરથી હાઇવે તરફ જવાના મુખ્ય માર્ગપર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા જેણે સ્માર્ટ સિટીની વાતો કરતા પાલિકા તંત્ર, શાશકોની પોલ ખોલી નાખી હતી. એક તરફ શહેરનું સ્માર્ટ પાલિકા તંત્ર તથા શાશકો, રાજકીય નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરો શહેરમાં પ્રિમોન્સુનની કામગીરી તથા સ્માર્ટ સિટીની વાતો તો કરે છે પરંતુ પ્રજાના ટેક્ષના નાણાંનો ફક્ત વેડફાટ અથવાતો ભ્રષ્ટાચાર માટે જ ઉપયોગ કરાતો હોય તેવું જણાય છે કારણ કે વેરો ભરતી જનતાને તો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને બદલે પાલિકા તંત્ર દ્વારા ફક્ત હાલાકી ઉઠાવવા તેઓના હાલ પર છોડી દીધાં હોય તેવું જણાય છે ત્યારે આજે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સ્માર્ટ પાલિકા તંત્ર ના શાશકોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

