36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દુઃખદ ઘટનાને લઈ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે મેયરને લખ્યો પત્ર

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાની ગંભીર નિષ્કાળજીને કારણે એક યુવકને જીવ ગુમાવવો પડ્યો હોવાના મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નિવૃત્ત DYSPના પુત્રનું ખુલ્લા ડ્રેનેજ ચેમ્બરમાં ખાબકતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટનાને લઈ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે વડોદરા મહાનગરપાલિકાના મેયરને લેખિત પત્ર પાઠવી કડક શબ્દોમાં આક્ષેપો કર્યા છે.

પત્રમાં અમીબેન રાવતે જણાવ્યું છે કે, પાલિકા અને સંકળાયેલા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે. લાંબા સમયથી ખુલ્લું રહેલું ડ્રેનેજ ચેમ્બર અને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ કરુણ ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું છે.

અમીબેન રાવતે મેયરને માંગ કરી છે કે મૃતકના પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે તેમજ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે FIR દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તેમણે પાલિકાની કાર્યશૈલી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Related posts

આંગણવાડીનું લોકાર્પણ તેમજ નવીન પ્રમુખ દ્વાર ગેટનું ખાતમુર્હુત ધારાસભ્યશ્રી શૈલેષભાઈ (સોટ્ટા)ના વરદ હસ્તે કરવામાં આવ્યું

admin

વડોદરા કમાટી બાગ ખાતે આંગણવાડી કાર્યકરોનો માનદ વેતનમાં વધારા માટે વિરોધ પ્રદર્શન…

admin

વડોદરામાં શિવાજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શિવરાય ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા

admin

Leave a Comment