ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના બીસીએ ગ્રાઉન્ડ કોટંબી ખાતે યોજાનારીવન-ડે મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે પરંતુ આ ઉત્સાહનો લાભ લઈ કેટલાક લે-ભાગું તત્વો મેદાનમાં ઉતરી આવ્યા છે.ખોટી વેબસાઈટ અને ફેક લિંક્સ મારફતે ટિકિટ વેચાણના નામે લોકોને લલચાવી છેતરવાનો ખેલ ચાલી રહ્યો હોવાની માહિતી સામે આવી છે.આ મામલે બીસીએ (BCA)એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ ખોટી વેબસાઈટ અથવા લિંકમાં ભરમાઈને ટિકિટ ન ખરીદવી.બીસીએના અગ્રણીએ જણાવ્યું છે કે ટિકિટ વેચાણ ક્યારે અને ક્યાંથી શરૂ થશે તેની અધિકૃત જાહેરાત ન્યૂઝપેપર અને માન્ય મીડિયા માધ્યમો દ્વારા જ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે હાલ બુક માય શો કે અન્ય કોઈ વેબસાઈટ પર ટિકિટ ઉપલબ્ધ નથી. તેથી ઓફિશિયલ જાહેરાત પછી જ ટિકિટ ખરીદવા બીસીએએ તમામ ક્રિકેટ રસિકોને અપીલ કરી છે.

