નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી લોક સુખાકારી ના ઉમદા હેતુસર અનગઢ પીએસસી સેન્ટરને એક એમ્બ્યુલન્સ વેન અને કોયલી રણોલી થી નંદેશરી તરફ આવતા વાહન ચાલકોને સુવિધા મળી રહે તે હેતુસર મીની નદી ઉપર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત તેમજ ઔદ્યોગિક વસાહતમાં થતા વારંવાર ના અકસ્માતો ને તેમ જ આગ લાગવાના બનાવોને પહોંચી વળવા 4:30 કરોડના ખર્ચે ફાયર ટેન્ડર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઔદ્યોગિક એકમના ઉદ્યોગ પતિઓ, આસપાસના ગામના સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

