વડોદરા શહેરમાં કોલેરા ના કેસમાં વધારો થયો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેર નવાપુરા વિસ્તારમાં આવેલ ખાટકી છેલ્લા ઘણા સમયથી કાળુ અને દુર્ગંધ વાળું પાણી આવતો સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કોલેરા ના કેસોમાં વધારો થયો છે ત્યારે આ વિસ્તારમાં પણ લોકો બીમાર પડી રહ્યા છે.

નવાપુરા ખાટકી વાડ ના સ્થાનિક લોકોએ વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે ને જાણ કરતા બાળુ સુર્વેએ વિસ્તારમાં દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની વેદના સાંભળી હતી ત્યાં સ્થાનિક લોકોએ ગંદુ અને દૂષિત અને દુર્ગંધ પાણી જોતા બાળુ સુર્વેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જો આ વિસ્તારમાં નિરાકરણ બે દિવસમાં નહિ આવે તો સ્થાનિક લોકોનો મોરચો લઈ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુ. કમિશનર ને રજૂઆત કરવામાં આવશે

