હોળીના પર્વ નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારની પરંપરા અનુસાર ઉજવણી થાય છે આ સાથે જ અનેક પારંપરિક મેળાઓ પણ ભરાય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામમાં રજવાડાના સમયથી અંદાજે 200 વર્ષથી ગોળફેર્યું નો મેળો યોજાય છે. આ મેળાને જોવા મધ્યપ્રદેશ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રૂમડિયા ગામના લોકોનું માનવું છે કે ગોલફેર્યું ફેરવવાથી ગામમાં કોઈ આફત આવતી નથી. એટલે આ સ્તંભની પુંજા વિધી કરી ગામમાં સુખાકારીની પરંપરા જળવાઈ રહે એ માન્યતા સાથે દર વર્ષે હોળીના બીજા દિવસે મેળો ભરાય છે.
વિમલ રાઠવા, જેતપુર પાવી

