વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમયે, પીએમ નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ રતન ટાટાનું સન્માન કરતાં કહ્યું હતું કે, "જો રતન ટાટાજી અહીં હોત, તો તેમને આ માઇલસ્ટોન અને નવા ભારતના કાર્ય સંસ્કૃતિ પર ગર્વ હોત." સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝે પણ ઉપસ્થિત રહીને ભારત પ્રત્યે સ્પેનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, “ભારતીય કંપનીઓ સ્પેન પર વિશ્વાસ કરી શકે છે. આ સુવિધા ભારતની સંરક્ષણ ક્ષમતાઓને આધુનિક બનાવશે અને હજારો નોકરીઓનું સર્જન કરશે.

