નસવાડી ખાતે સ્નેહ મિલન ના કાર્યક્રમ માં આવેલા ભાજપના નેતાઓ મહારાષ્ટ્ર માં ભાજપની સરકાર બની છે. અને કોંગ્રેસ એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે ની પાર્ટી નો પરાજય થતા ભાજપ ના નેતાઓ આ જલવંત વિજયને લઈને નસવાડી ખાતે એપીએમસી ના ગ્રાઉન્ડ માં સાંસદ જશુંભાઈ રાઠવા ધારાસભ્ય અભેસિંહ તડવી અને બરોડા ડેરીના ઉપ પ્રમુખ જી.બી.સોલંકી પણ ઢબૂકતાં ઢોલે નાચગાન કર્યું હતું. અને વિજય ઉત્સવ મનાવ્યો હતો. જયારે ભાજપને વાવ બેઠક પણ ફાળે આવતા કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ બેઠક ભાજપે આંચકી લેતા વિકાસ નો વિજય થયો હોવાનું સાંસદ એ જણાવ્યું હતું
મોહસીન સુરતી છોટાઉદેપુર

