અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.ત્યારે,સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.
વડોદરાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.પરિવારજનો દ્વારા અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા હતા.કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.અંતિમયાત્રામાં ધારાસભ્ય કેયુર રોકડિયા, કોર્પોરેટરો સહિત રાજકીય અગ્રણીઓ પણ જોડાયા
સોસાયટીના નાગરિકોએ કહ્યું હતું જે, અંજુબેન અમને હંમેશા યાદ આવશે

