વડોદરામાં આજે વધુ એક લાશ મળી આવી હતી,વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવમાં લાશ તરતી જોવા મળી,જેને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને પોલીસ તેમજ વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરી હતી,દરમિયાન ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તરતી લાશને બહાર કાઢી હતી,લાશ કોઈ અજાણ્યા આધેડની હતી જેની ઉમ્મર લગભગ 50વર્ષની આજુબાજુ હોવાનું મનાય છે.ત્યારે આધેડના મોતનું કારણ જાણવા પોલીસે પણ વધુ તાપસ હાથ ધરી છે.

