સાવલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવાઇ
સાવલીમાં નગર પ્રવેશદ્વાર પાસે આવેલી સરદારપટેલ ની પ્રતિમા અને તાલુકા પંચાયત કચેરી ના પ્રાંગણ માં આવેલ પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી સરદારપટેલ ને શ્રદ્ધાંજલિ અપાઈ
દેશ ના લોખંડી પુરુષ તરીકે જાણીતા અને ગુજરાતના પોતીકા પનોતાપુત્ર કે જેવો એ રાજા રજવાડાઓને એકત્રિતકરી અખંડભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈપટેલની 150 જન્મજયંતિ દેશભરમાં એકતાદિવસ ઉજવાઈ રહ્યોંછે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી માં પણ નાતીજાતી અને પક્ષા પક્ષી ના ભેદભાવ ભૂલી ભાજપા કોંગ્રેસ ના કાર્યકરો હોદ્દેદારો અને એસ,પી,જી. ગ્રૂપ તેમજ પટેલ સમાજ ના અગ્રણીઓ અને નગરજનો એ આજે સાવલી નગરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્થાપિત સરદાર પટેલની વિશાળ પ્રતિમાં પાસે એકત્રિત થઈ જય સરદાર ના સૂત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી તેવો ના કાર્યકાળ માં દેશ ની અખંડીતતા માટેના યોગદાન નું સ્મરણ કરી તેવોના સિદ્ધાંતો પોતાના જીવન સમાવવા અપીલ કરી હતી અને તાલુકાપંચાયત કચેરી ના પ્રાંગણ માં પણ સરદારપટેલ ની પ્રતિમા એ સામુહિક રીતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી

