કાલભૈરવ જયંતી છે રુદ્રના પાંચમાં અવતાર એટલે કાળ ભૈરવ છે. આજના દિવસે ખાસ કરીને કાળ ભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે.
કાળ ભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાળ ભૈરવની ઉપાસના કરતા હોય છે સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ, સુખડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરતા હોય છે. વિશેષ કરી આજના દિવસે ૐ કાલભૈરવાય નમઃ બમ બટુકાય નમઃ ના જાપ કરવામાં આવે છે કાળ ભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે. સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન કાળ ભૈરવનું છે વિશેષ કરી સ્મશાનની આસપાસ પણ તેમનો વાસ હોય છે. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું પોરાણીક કાળ ભૈરવ મંદિરે કાળ ભૈરવની ઉપાસના પૂજન અર્ચન કરી કાલભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવી સાથે બપોરે મંદિર પર ધ્વજા રોહન કરવામાં આવશે સાથે સંધ્યા સમયે ભજન કીર્તન અને મહાપ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું છે

