નર્મદાની મેઇન કેનાલ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સંખેડા અને હાલોલ તરફ જતી કેનાલમાં સંખેડા તાલુકાના ચણોલી ગામ પાસે 50 મીટર વિસ્તારમાં મેઇન કેનાલના કોક્રેટની કામગીરી ધોવાઈ જતા કેનાલની પાળની માટી ધીમે ધીમે ધોવાઈ રહી છે. અને હાલ કેનાલમાં પાણી પુર જોષમાં જાય છે. ત્યારે માટી ધોવાઈ જાય અને ગાબડું પડે તો નજીકના ગામડાઓમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસી જાય તો મોટી ખાનાખરાબી સર્જાઇ તેમ છે. નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં જ્યારે અધિકારીઓએ આવી કેનાલો તાત્કાલિક રિપેર કરવી જોઈએ
મોહસીન સુરતી છોટાઉદેપુર

