વિસાવદર તાલુકાના શાપર ગામે સિંહે કર્યું 35 ઘેટાં બકરાનો શિકાર વિસાવદર શાપર ગામે આજે રાત્રે અચાનક સિંહ ઘરે રાખેલા ઘેટા બકરા ઉપર હુમલો કરી આશરે 30 થી 35 ઘેટા બકરાવોનો શિકાર કર્યો હતો ગામના ભરવાડ કુટુંબ ઉપર અચાનક જ આ આફત આવી પડી હતી . આ બનાવ બાદ પરિવારને આપવા માટે સાપર ગામે રહેતા ભરવાડ શોભાબેન ના ઘરની મુલાકાત લેતા વિધાનસભાના દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિપુલભાઈ કાવાણી, તાલુકા પંચાયતના પ્રમુખ સોમાભાઈ તથા અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ અરવિંદભાઈ ગેગડા. તથા અન્ય આગેવાનોએ તે પરિવારના 30 થી 35 ઘેટા બકરાનું સિંહ દ્વારા માલણ કરેલું હતું, તેમના ઘરે જઈ તે પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું અને સરકારશ્રી દ્વારા આપતી સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી આ બનાવ બાદ નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકોમાં જંગલી જાનવર નો ભય જોવા મળી રહ્યો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

