33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો નીકળશે

દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો નીકળશે. માતા તુલસીજી સાથે લગ્ન યોજાશે.ત્યારે તુલસી વાડી મંદિર ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે.

કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળીએ 287 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ.જી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે. જ્યાંથી શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત આવશે. ત્યારે તુલસીવાડી મંદિર ખાતે આજથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે. મંદિરમાં મંડપ રંગ રોગાન સહિતનો શણગાર કરવામાં આવશે. આ અંગે પૂજારી વિનોદચંદ્ર પંડ્યાએ વધુ માહિતી આપી હતી.

Related posts

મૃત સ્વજનો ની પાવન અસ્થિ નું નિઃશુલ્ક રીતે માં ગંગા ના સાનિધ્ય હરિદ્વાર માં વિસર્જન કરવાનું સેવાયજ્ઞ

admin

કારેલીબાગ આમ્રપાલી અકસ્માતના કાર ચાલક બંને આરોપીએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવ્યું

admin

વડોદરા જિલ્લાના સાવલીમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ઠગ ત્રિપુટી ગેંગને સાવલી પોલીસે ઝડપી પાડી

admin

Leave a Comment